ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સખિયાજી

Revision as of 09:22, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સખિયાજી [ ] : જૈન શ્રાવક. જ્ઞાતિએ ભણસાળી. લોંકાગચ્છના લવજીઋષિ પાસે દીક્ષા લેવા અગાઉ વીરજી વોરાએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર રૂપે ગદ્યમાં મળતા ‘સખિયાજીના બોલ’ (લે.ઈ.૧૬૬૪ અનુ : મુ.)ના કર્તા. કૃતિ : સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૬૮-‘સખિયાજીના બોલ’, મુનિ હસ્તિમલ્લજી, કેશવલાલ હિં. કામદાર (+સં.). [ર.ર.દ.]