ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સત્યરત્ન-૨

Revision as of 09:24, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સત્યરત્ન-૨ [ ] : જૈન. જિનહર્ષના શિષ્ય. હિન્દી-ગુજરાતી મિશ્ર ભાષામાં અનુક્રમે ૫ અને ૭ કડીના ‘દાદાજી’ (-જિનકુશલસૂરિ) વિષયક ૨ સ્તવનો(મુ.)ના કર્તા. કૃતિ : સ્નાત્રપૂજા, દાદાસાહેબ પૂજા, ઘંટાકર્ણવીર પૂજા, પ્ર. ઝવેરચંદ કે. ઝવેરી, સં. ૨૦૦૮. [પા.માં.]