ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સરૂપચંદ

Revision as of 09:35, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સરૂપચંદ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. હર્ષના શિષ્ય. ૨૩ કડીના ‘સીમંધરસ્વામીનું સ્તવન’ (ર.ઈ.૧૭૬૫/સં.૧૮૨૧, પોષ વદ ૨, બુધવાર; મુ.) તથા હિન્દી-રાજસ્થાનીમાં રચાયેલ ‘ઉપાધ્યાય જયમાણિક્યજીરોછંદ’ (ર.ઈ.૧૭૬૯; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. કર્મનિર્જરાશ્રેણિ અને સદ્બોધ વાક્યામૃત, સઝાય, પાંચમ તથા સ્તવન, પ્ર. લક્ષ્મીચંદ લે. ભાવસાર, ઈ.૧૯૨૭.{{Right|[કી.જો.]