ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતિવાચન

Revision as of 09:04, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અતિવાચન(Overreading) : કોઈપણ સાહિત્યકૃતિના સઘન વાચન વખતે નિર્દેશો અને એના અર્થોનું શ્રમપૂર્વક અને દુરાકૃષ્ટ રીતે અતિવિસ્તરણ કરવામાં આવે ત્યારે આ દોષ જોવાય છે. સમગ્ર કૃતિના વાચન સંદર્ભે કે ચોક્કસ પરિચ્છેદોના વાચન સંદર્ભે આ વાત લાગુ પડી શકે. ચં.ટો.