ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતિરિક્તકૃતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અતિરિક્તકૃતિ(Extratext): રશિયન સંકેતવિજ્ઞાની યુરિ લોતમનના કાવ્યશાસ્ત્રને આધારે પ્રચલિત સંજ્ઞા. લોતમનનો અભિપ્રાય છે કે સાહિત્યકૃતિને ધોરણો, પરંપરાઓ અને અપેક્ષાઓથી બનેલી ‘અતિરિક્તકૃતિ’ દ્વારા જ સમજી શકાય. આ વિચારણામાં સર્જકની ચેતના અને ભાવકની અપેક્ષાઓ જ નહિ પરંતુ સંસ્કૃતિના એક આવિષ્કારરૂપ સાહિત્યની સમસ્યા પણ એમાં નિહિત છે. અતિરિક્તકૃતિ સંરચનાવાદી પરિભાષાઓમાં સંસ્કૃતિના અભ્યાસનો માર્ગ ખોલે છે. ચં.ટો.