ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંતકરણ

Revision as of 08:24, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આંતરકણ (Etymon) : પ્રત્યેક કૃતિ આંતરિક રીતે પૂર્ણપણે સંયોજિત છે, કૃતિની આ આંતરસંયોજનાને લીઓ સ્પિટ્સર વ્યુત્પત્તિશાસ્ત્રમાંથી વિચાર ખેંચી લાવીને કૃતિના આંતરકણ તરીકે ઓળખાવે છે. સ્પિટ્સરનું માનવું છે કે ઘણાં વાચન પછી કોઈ સહજાનુભૂતિની ક્ષણે ભાવકને કૃતિનો આ આંતકરણ હાથ ચડે છે. આ આંતરકણ વિના કૃતિ અંગેની થોડીઘણી પણ સમજ સાધવી મુશ્કેલ બને છે. ચં.ટો.