ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચૈતસિક વાતાવરણ

Revision as of 14:17, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચૈતસિક વાતાવરણ(Atmosphere of mind) : માનસશાસ્ત્રીય નવલકથાલેખનના સંદર્ભમાં હેન્રી જેમ્ઝ દ્વારા સૌ પ્રથમવાર ઉપયોગમાં લેવાયેલી આ સંજ્ઞા આત્મલક્ષી લેખનશૈલી દ્વારા ભાવકના ચિત્તમાં લેખક પોતાની મનોદશાનું કઈ રીતે આરોપણ કરે છે તે સૂચવે છે. પ.ના.