ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પશ્ચાદગતિનો સિદ્ધાન્ત

From Ekatra Wiki
Revision as of 07:08, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પશ્ચાદ્ગતિનો સિદ્ધાન્ત (Principle of return) : લોતમનની સંજ્ઞા. રોજિંદી ભાષા કાલગત સંવેદન છે; જ્યારે કવિતાનું સંવેદન સ્થલગત છે; અને આ સ્થલગત સંવેદન ભાવક પાસે સતત પશ્ચાદ્ગતિ ઇચ્છે છે. આ સતત ચાલતી પશ્ચાદ્ગતિની પ્રક્રિયા અને તુલના દ્વારા ભાવક સમક્ષ અર્થની નવી સામગ્રી પ્રત્યક્ષ થાય છે. ચં.ટો.