ભારતીય કથાવિશ્વ૧/એતશ અને તેના પુત્રો

Revision as of 13:02, 26 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| એતશ અને તેના પુત્રો | }} {{Poem2Open}} એતશ નામના કોઈ મહર્ષિએ અગ્નેર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એતશ અને તેના પુત્રો

એતશ નામના કોઈ મહર્ષિએ અગ્નેરાયુ નામના મંત્રકાંડનું દર્શન કર્યું. તેમણે પોતાના પુત્રોને કહ્યું, ‘હે પુત્રો, મેં અગ્નેરાયુ: નામના મંત્રકાંડનું દર્શન કર્યું છે. હું તમારી આગળ તેનું સ્તવન કરીશ. હું જે કહું તેની નિંદા ન કરતા.’ એમ કહી મુનિએ સ્તવન કરવા માંડ્યું. એતશના પુત્ર અભ્યગ્નિએ આ પ્રકારે સ્તવન કરતા પિતાને જોઈ અધવચ્ચે જ કસમયે ઊભા થઈને, તેના પિતાને બોલતાં અટકાવી દીધા. ‘મારા પિતા ઉન્મત્ત થઈ ગયા છે.’ ત્યારે પિતાએ તેને કહ્યું, ‘હે પુત્ર, તું અહીંથી જતો રહે. મારાં વાક્યો સાંભળવામાં તેં આળસ કરી છે. તેં મને બોલતાં અટકાવી દીધો છે. હુંં અલ્પાયુ ગામને શતાયુ કરી શકું છું, શતાયુ પુરુષને સહાયુ કરી શકું છું. હું તારી પુત્રાદિ પ્રજાને હવે પાપી કરી મૂકીશ. કારણ કે તેં મને આ રીતે નીચો પાડ્યો છે.’

(ઐતરેય બ્રાહ્મણ, ત્રીસમો અધ્યાય, સાતમો ખંડ)