ભારતીય કથાવિશ્વ૧/સરણ્યૂ કથા

From Ekatra Wiki
Revision as of 09:59, 7 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સરણ્યૂ કથા | }} {{Poem2Open}} ત્વષ્ટા દેવ પોતાની કન્યાનો વિવાહ કરે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સરણ્યૂ કથા

ત્વષ્ટા દેવ પોતાની કન્યાનો વિવાહ કરે છે. એટલે આખું વિશ્વ આવ્યું છે. વિવસ્વાન સાથે યમની માતા (સરણ્યૂ)નો વિવાહ થયો. તે વેળા વિવસ્વાનની મહાન પત્ની અદૃશ્ય થઈ ગઈ. અમર સરણ્યૂને મનુષ્યો માટે દેવોએ છુપાવી દીધી. સરણ્યૂના જેવી જ બીજી સ્ત્રીનું નિર્માણ કરીને તેને દેવોએ વિવસ્વાનને આપી. તે સમયે સરણ્યૂ જ્યાં હતી ત્યાં અશ્વિનીઓને ગર્ભમાં ધારણ કર્યા., જોડિયાંને જન્મ આપ્યો.