યાત્રા/પ્રતિપદા

Revision as of 10:33, 18 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રતિપદા|}} <poem> અમાસે ડૂબેલા તિમિર-ભરતીમાં જગતને થતું કે હાવાં તે મરણ વિણ આરા અવર ના, ઉતારો કે તારે નહિ જ્યહીં કિનારે નજરમાં, હવે તો હોડીની કબર બનવાની જલધિમાં. ત્યહીં અંધારાના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રતિપદા

અમાસે ડૂબેલા તિમિર-ભરતીમાં જગતને
થતું કે હાવાં તે મરણ વિણ આરા અવર ના,
ઉતારો કે તારે નહિ જ્યહીં કિનારે નજરમાં,
હવે તો હોડીની કબર બનવાની જલધિમાં.

ત્યહીં અંધારાનાં જલથી જગ ઉદ્ધાર કરવા
પ્રભુએ નાખીને ગલ શું શશીનો હોડી જગની
તણાતી રોકી, ને અતલ તમના સાગર થકી
કિનારે પહોંચાડી જ્યહીં વિલસતી પૂનમ હતી.

પછી જાણ્યું સૌએ તિમિર ચડતું ને ઊતરતું
રહે છે નિત્યે, તો ક્યમ ઉર નિરાશાથી ભરવું?
ખિલેલી જ્યોસ્નામાં કુમુદ વીણવાં પાલવ ભરી,
અમાસે તારાઓ વીણી વીણી લઈ ઝોળી ભરવી.

તને હો પૂજીશું, નમણી સખી! પંચાંગુલિ થકી,
અમને આશા ને બલ અ૨૫જે, હો પ્રતિપદા!
મે, ૧૯૩૮