યુગવંદના/વાંદરો અને વિદ્વાન

From Ekatra Wiki
Revision as of 04:58, 27 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાંદરો અને વિદ્વાન|}} <poem> <center>[વસંતતિલકા]</center> આ એક જાનવર ને વિદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વાંદરો અને વિદ્વાન
[વસંતતિલકા]

આ એક જાનવર ને વિદવાન બીજો;
એવા કુભેદ કરજો ન અમારી વચ્ચે;
ભાળે ન સામ્ય અમ બેઉની વચ્ચ અંધા,
કાં કે અમે લઘુમતી, બહુસંખ્ય તેઓ!
જ્ઞાની અમો ઉભય, રે નીરખો અમારાં
ડાચાં પરે જ શું ન અંકિત દિવ્ય પ્રજ્ઞા?
પ્રેમી અમે શું કમ એકબીજાથી? બોલો!
સૌંદર્ય શું ઉભયને નયણે ન સ્પષ્ટ?
દૂરત્વ એ જ દુ:ખ છે! પશુ ને મનુષ્યો
દૂરે ધકેલી સરસાઈ બડાઈ મારે
રે માનવી અવર માનવને હટાવી;
સૌંદર્યશીલ, બહાદુર ઠરેછ પોતે.
૧૯૪૦