રવીન્દ્રપર્વ/૧૧૩. કે એસે યાય ફિરે ફિરે

From Ekatra Wiki
Revision as of 06:30, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૩. કે એસે યાય ફિરે ફિરે| }} {{Poem2Open}} કોણ વ્યાકુળ આંસુ સારીને આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૧૩. કે એસે યાય ફિરે ફિરે

કોણ વ્યાકુળ આંસુ સારીને આવી આવીને પાછું જાય છે? કોણ મિથ્યા આશાથી મારા મુખને જોઈ રહ્યું છે? એ તો મારી જનની. કોની અમૃતમય વાણી અનાદરનું ભાન થતાં વિલાઈ જાય છે? કોની ભાષા બધાં ભૂલવા ઇચ્છે છે? એ તો મારી જનની. ક્ષણેક એનો સ્નેહભર્યો ખોળો છોડ્યા પછી હું એને ઓળખી શકતો નથી, કોનાં પોતાનાં જ સંતાન અપમાન કરે છે? એ તો મારી જનની. પુણ્ય કુટીરમાં વિષાદભરી કોણ થાળ પીરસીને બેઠી છે? એ સ્નેહનો ઉપહાર હવે મોઢામાં રુચતો નથી. એ કોણ? એ તો મારી જનની. (ગીત-પંચશતી)