રવીન્દ્રપર્વ/૯૭. કત રે તુમિ મનોહર

From Ekatra Wiki
Revision as of 06:03, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯૭. કત રે તુમિ મનોહર| }} {{Poem2Open}} તું કેવો મનોહર છે તે માત્ર મન જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૯૭. કત રે તુમિ મનોહર

તું કેવો મનોહર છે તે માત્ર મન જ જાણે છે. મારું હૃદય તારા ગીતે થરથર કંપે છે. આજે આ પ્રભાતવેળાએ વાદળ સાથે તડકાની રમત ચાલી રહી છે. તારી તરફ જોતાં આંખ જળથી છલછલ થઈ ઊઠે છે. પ્રકાશનો ચંચળ ઝળહળાટ નદીના તરંગો પર નાચે છે. વનનું ખિલખિલ હાસ્ય પાંદડે પાંદડે દોડી જાય છે. આકાશમાં આ હું શું જોઉં છું. તારી આંખથી દૃષ્ટિ મારા પ્રાણમાં સુનીલ અમૃતની જેમ ઝરે છે. (ગીત-પંચશતી)