અનુનય/ગઝલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગઝલ

ઊંટ-પગલાંમાં રણો ચાલ્યા કરે
મૃગજળોમાં છાંયડા હાલ્યા કરે.

બંધ મુઠ્ઠીમાં પુરાયેલી ક્ષણો
હસ્તરેખાઓને પંપાળ્યા કરે.

જાગતાં ના પાંપણો ઊંચી કરે
બંધ આંખોથી ૫છી ભાળ્યા કરે!

પ્હોંચવા એને સીધો રસ્તો લઉં
એ જ મારા રાહને વાળ્યા કરે!

આંખથી આંસુ બની વરસે નહીં
લાગણીઓ આગ થૈ બાળ્યા કરે.

રાતદી જોયા વને બોલ્યા કરે
ક્હેવી છે તે વાતને ટાળ્યા કરે!

૨૫-૭-’૭૪