અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /પંખી ના જાણે

પંખી ના જાણે

બળવંતરાય ક. ઠાકોર

અંજની ગીત


પ્રબલ કેટલી પાંખ છાતિ નિજ,
ભભક કેટલી પર પરની નિજ,
સુર સુલપલટા શા કંઠે નિજ — પંખી ના જાણે. ૧

ઉડન કુજન દિક્કાલ કયામાં,
શા થકિ બઢત વિલાય કશામાં,
રસે ચગે વા કથળત શામાં — પંખી ના જાણે. ૨

ઉડન કુજન નિજ જીવન વ્હેતૂં,
લોલવિલોલ લ્હેરિયાં લેતૂં,
અવર દુઃખસુખ જગ શુ ં હૈતૂં — પંખી ના જાણે. ૩

ઉડન કુજનથી કશૂં સધાતૂં
શૂં એ કો સચિતે પમાતૂં?
પૂછો શાને એવી વાતૂં? — પંખી ના જાણે. ૪

ઈ. ૧૯૪૨