અલગારી રખડપટ્ટી/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય


અલગારી રખડપટ્ટી

આ નાનકડી પુસ્તિકાએ એના લેખક રસિક ઝવેરીને ગુજરાતીના પ્રવાસ-સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું. આ પુસ્તકનું સૌથી મોટું આકર્ષણ તો લેખકની રસિક પ્રવાહી શૈલી છે. એમણે જે આલેખ્યાં છે એ દૃશ્યચિત્રોને આપણે સીધાં જ અનુભવી શકીએ એવો એમના ગદ્યનો જાદુ છે. બીજી અગત્યની બાબત એ છે કે, શું ભારતમાં કે શું લંડનમાં, મનુષ્યમાત્ર સરખા – માયાળુ, વિલક્ષણ અને સ્નેહપાત્ર હોય છે, એવું રસિકભાઈનું અનુભવ-દર્શન. એટલે એમને સ્થળના વૌવિધ્ય પાછળ મનુષ્યમન એકસરખું હૃદ્ય લાગે છે.

રમૂજી આનંદી પ્રસંગો તેમ જ કરુણ અને કરુણાસભર વ્યિક્તઓનાં રેખાંકનોને લીધે આ પુસ્તક એક વાર વાંચવા લીધા પછી છોડવાનું મન નહીં થાય.

તો, પ્રવેશીએ?

(પરિચય: રમણ સોની)