આત્મપરિચય/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિવેદન

સુરેશ જોષીએ વ્યવસ્થિત રીતે આત્મકથાલેખન કર્યું નથી. પરંતુ નિબંધોમાં, મુલાકાતોમાં પોતાના વિશે અવારનવાર તેઓ કહેતા રહ્યા છે. અહીં આવા કેટલાક અંશો, અંગત પત્રો તારવીને મૂક્યા છે. વળી તેમની કેટલીક દુર્લભ તસ્વીરો પણ મૂકી છે. ભૂપેન્દ્ર ઉપાધ્યાયે તથા સ્વ. ઉષા જોષીએ તેમના વિશે કરેલાં લખાણો પણ અહીં સમાવ્યાં છે. આશા છે કે આ ઉપક્રમ સાવ અંગત બની નહીં રહે.

શિરીષ પંચાલ

૧૪-૦૧-૨૦૧૨