ઋણાનુબંધ/મારું ગણિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મારું ગણિત


પતિને પરમેશ્વર માનનારી સ્ત્રી
હું નથી.
અને
એટલે જ
પતિના અવસાન પછી
મૂરઝાયેલા ફૂલ જેમ
શેષ આયુષ્ય વિતાવવાના
આપણા ઉત્કૃષ્ટ રિવાજને
હું
વધાવી શકતી નથી.

હું
સ્વર્ગે જઈશ
એવી કોઈ ગણતરી
મારા ગણિતમાં છે જ નહીં!