કંસારા બજાર/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કંસારા બજાર






મનીષા જોષી







ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
મુંબઈ • અમદાવાદ 380 001


Kansara Bazar : Collection of Poems by Manisha Joshi



© મનીષા જોષી



પ્રકાશક
ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.

૧૯૯/૧, ગોપાલ ભુવન,
પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ ૪૦૦ ૦૦૨,
ફોન:૨૦૦ ર૬૯૧, ૨૦૦ ૧૩૫૮

૧-૨, અપર લેવલ, સેન્ચુરિ બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી
અમદાવાદ ૩૮૦ ૦૦૬
ફોનઃ ૬૫૬ ૦૫૦૪, ૬૪૪ ૨૮૩૬

Email: sales@imagepublications.com
Visit us on: http://www.imagepublications.com


પ્રથમ આવૃત્તિ: માર્ચ, ૨૦૦૧


મૂલ્ય: રૂ. ૬૦.૦૦


આવરણ ફોટોગ્રાફ: વિવેક દેસાઈ


લેઆઉટ/ ટાઇપસેટિંગ
અપૂર્વ આશાર
ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
અમદાવાદ


મુદ્રક
મુદ્રેશ પુરોહિત
સૂર્યા ઓફસેટ
આંબલી

અર્પણ



ગોબાતાં,

         ટીપાતાં,
                  રણકતાં,
                           ચળકતાં વાસણોને...



સર્જકની સાથે

કોઈ સર્જકને પોતાની કૃતિથી પૂર્ણ પરિચિતતા ક્યારેય અનુભવાય ખરી? ‘કંદરા’ના કાવ્યો આજે સાવ નોંધારા લાગે છે તેમ આ કાવ્યો પણ ક્યારેક એવા જ અનાથ લાગશે. પણ, અત્યારે તો હું વ્યક્ત થઈ રહી છું, આ કાવ્યોના માલિકીભાવ સાથે. ‘કંસારા બજાર' એટલે સ્વ અને સમગ્ર વચ્ચેનો સંઘર્ષ માત્ર. અસ્તિત્વની સાતત્યતા જાળવવાના પ્રયત્નમાં લખાયેલી થોડીક કવિતાઓના અનુસંધાન અહીં મળે છે. કપડાં અને વાસણોમાં પૂરાતી, મુક્ત થતી ચેતના આમ જ કણસતી રહેશે, જીવાતું રહેશે. સદ્ભાગ્યે, જીવનમાં સ્વજનોની યાદી ખૂબ લાંબી છે, એટલે અહીં સૌને માત્ર એક અંગત યાદ. આ સંગ્રહના પ્રકાશક અને મૂળ તો કવિતાના આજીવન ભેખધારી ડૉ. સુરેશ દલાલનો વિશેષ આભાર.

– મનીષા
 



આ ઈ-પ્રકાશન નિમિત્તે

“કંદરા”, “કંસારા બજાર” અને “કંદમૂળ” - મારા આ ત્રણે કાવ્યસંગ્રહો એક નેજા હેઠળ, ઈ-બુક સ્વરૂપે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા બદલ એકત્ર ફાઉન્ડેશનનો ખૂબ આભાર. આ સાથે આ પુસ્તકોના મૂળ પ્રકાશકો - ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ (કંદરા, ૧૯૯૬) અને ઈમેજ પબ્લિકેશન, મુંબઈ (કંસારા બજાર, ૨૦૦૧ તથા કંદમૂળ, ૨૦૧૩) નો પણ વિશેષ આભાર. આશા છે કે હવે આ કવિતાઓ ઈન્ટરનેટ પર સરળતાથી પ્રાપ્ય થતાં વાચકો માટે વધુ અનુકૂળતા રહેશે. આ પ્રસંગ જોકે મારા માટે તો દરેક પ્રકાશન વેળાએ થતા એક પરિચિત આશ્ચર્ય સમાન છે કે, “શું આ કવિતાઓ મારી છે?” મને ક્યારેય મારી કવિતાઓ પ્રત્યે આધિપત્યની લાગણી નથી અનુભવાઈ કારણકે આ કવિતાઓ હજી પૂરી થઈ હોય એમ મને નથી લાગતું. કવિતાઓ કદાચ ક્યારેય પૂરી થતી પણ નથી. કવિતાનું સમાપન એક છળ છે. મને હંમેશ એમ લાગ્યું છે કે મેં મારી કવિતાઓ પૂરી કરવાને બદલે મેં તેમને અડધે જ ત્યજી દીધી છે. મને તો હજી એ સવાલનો પણ પૂરેપૂરો જવાબ નથી મળ્યો કે, હું લખું શા માટે છું? સમયના એક અતિ વિશાળ આયામ પર હું, ક્યાં અને કોની સામે વ્યક્ત થઈ રહી છું? કોઈ કવિ માટે પોતાની કવિતા સુધી પહોંચવાની યાત્રા જેટલી જટિલ હોય છે તેટલી જ મુશ્કેલ યાત્રા કોઈ વાચકની, એ કવિતા સુધી પહોંચવાની હોય છે, જેને એ પોતાની કહી શકે. આ બંને સદંતર અંગત છતાં સમાંતર યાત્રાઓ છે. મારી સ્મૃતિઓના રઝળતા પ્રતીકો કોઈ વાચકના માનસપટ પર પોતાની થોડીક જગ્યા કરી શકશે તો મને ગમશે.

– મનીષા જોષી