કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૨૧. પાંખો કાપવી’તી તો...રે... (તીરથનાં ત્રણ ગીતોમાંથી)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૧. પાંખો કાપવી’તી તો...રે... (‘તીરથનાં ત્રણ ગીતો’માંથી)

પાંખો કાપવી’તી તો... રે...
મોરલાને જનમ કેમ આપ્યો?
હે ! પડઘો ન પાડવો તો... રે...
અંતર સાદ કાં આલાપ્યો?
— જનમ કેમ આપ્યો !
સામી મોલાતમાં દીવડી ફરૂકે,
ફરૂકે મારા અંતરની જ્યોતિ !
હે ! આડી ચણી આ કાચની દીવાલ તો,
લોહની દીવાલ કાં ન રોપી?
— સાદ કાં આલાપ્યો?
પાંખી કાપવી’તી તો...રે...
મોરલાને જનમ કેમ આપ્યો?

(કોડિયાં, પૃ. ૧૦૬-૧૦૭)