કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૩૨. ’એક ફૂલખરણી’માંથી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૩૨. ’એક ફૂલખરણી’માંથી

સૂર્યોદયમાં સાવજ ઊભી
પડછાયો નીરખી ભાવેઃ
“એક ઊંટિયું ખાવા જોશે,
ઓડકાર નહિ તો ના’વે?”
મધ્યાહ્ને પડછાયો જોતાંઃ
“શિયાળવું એ તો ચાલે !”

૨૭-૬-’૩૩


અંધારાએ પીંજી નાખી
સંધ્યાની સોનેરી પાંખ;
કૂમળું પીછું એક પડ્યું, તે
બીજ કલાની તીરછી આંખ !

૧૮-૭-’૩૪
(કોડિયાં, પૃ. ૧૭૬-૧૭૭)