કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૧. કવિનું મૃત્યુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૧. કવિનું મૃત્યુ

નલિન રાવળ

ખુશ્બૂભર્યા સ્વર્ગની એક અપ્સરા
સુહામણું તારકતેજ પ્હેરી
ખીલી રહ્યાં ફૂલનું ગીત માણવા
સવારમાં આંહીં હમેશ આવતી.
આજે
સવારે
લયલુબ્ધ અપ્સરા
એવું કયું સાંભળી ગાન ગૈ
કે
ઉન્માદમાં ફૂલ જ ચૂંટી લઈ ગૈ.
(અવકાશપંખી, પૃ. ૨૦)