કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૭. શું કહું?
મારા ઘર પછવાડે રે મોગરો,
એ તો ફૂલડે લળી લળી જાય રે,
મારે આંગણ મો’ર્યો રે આંબલો,
એને લૂમ લૂમ
મારા ઘરને માથે રે અગાશિયું,
એમાં ચાંદની ભરી છલકાય રે
મારા ઘરમાં નવરંગ રે વાંસળી,
એમાં ગેબી પ્રાણ પુરાય રે
મારે હૈયે જડેલો રે હીરલો,
એ તો અમથો હલહલ થાય રે
મારે તેલ પૂરેલી રે દીવિયું,
તેમાં એકમાં અનેક પ્રગટાય રે
મારે હૈયે હજારું રે વાતડી,
કે ઊગી હૈયે હજારું રે વાતડી,