કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૭. શું કહું?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૭. શું કહું?

મારા ઘર પછવાડે રે મોગરો,
એ તો ફૂલડે લળી લળી જાય રે,

સહિયર, શું રે કહું, શું ના કહું?


મારે આંગણ મો’ર્યો રે આંબલો,
એને લૂમ લૂમ

હાં રે એને પાન પાન ભરત ભરાય રે
સહિયરo ૨


મારા ઘરને માથે રે અગાશિયું,
એમાં ચાંદની ભરી છલકાય રે

હાં રે એમાં ચાંદની છબાછબ થાય રે
સહિયરo ૩


મારા ઘરમાં નવરંગ રે વાંસળી,
એમાં ગેબી પ્રાણ પુરાય રે

હાં રે એમાં ગેબી સૂર ગવાય રે
સહિયરo ૪


મારે હૈયે જડેલો રે હીરલો,
એ તો અમથો હલહલ થાય રે

હાં રે અમથો અમથો હલ થાય રે
સહિયરo ૫


મારે તેલ પૂરેલી રે દીવિયું,
તેમાં એકમાં અનેક પ્રગટાય રે

હાં રે દીવા એકમાં અનેક પ્રગટાય રે
સહિયરo ૬


મારે હૈયે હજારું રે વાતડી,
કે ઊગી હૈયે હજારું રે વાતડી,

હું તો કહૌં કહું ને એક ન કહેવાય રે
સહિયરo ૭
(શેષનાં કાવ્યો, પૃ. ૨૦)