કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૦. દશા અને દિશા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૦. દશા અને દિશા


દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ;
દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રૂજનારાઓ.
કહી દો એમને કે હે દશાના પૂજનારાઓ!
દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને ખૂંદનારાને સડક ઝાલી નથી શકતી.
(દીપ્તિ, પૃ. ૭૭)