કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૯. દીવાદાંડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯. દીવાદાંડી

પ્રહ્લાદ પારેખ

જાતાં જાતાં સફર મહીં આ સિંધુના માર્ગ માંહી
છૂપા ઊભા ખડક તહીં, જે કાળ શા, નાવ કેરા.
તૂટ્યાં જહાજો, ઝઝૂમી મરિયા જે ખલાસી બધા ત્યાં,
દીવાદાંડીસ્વરૂપ ઝબકે પ્રાણ એ સર્વનો આ.

દૂરથી કો જલધિજલના માર્ગમાં નાવ આવે;
સંદેશાઓ ઝબકી ઝબકી વ્હાણને, એ, કહાવે :
‘ના, ના, ના, ના, અહીં નહિ, અહીં કાળ ઊભો લપાઈ;
તારું આંહીં જીવન સઘળું, – પ્રાણ, – જાશે હરાઈ.’

સંદેશાઓ ઝબકી ઝબકી આવતા પ્રાણ કેરા;
પામી એ સૌ, દિશ બદલતા નાવ કેરી, ખલાસી :
જાતાં મારું, જીવન-જલધિ-માર્ગ, જો નાવ તૂટે,
દીવાદાંડી બની રહી તહીં ચેતવું સૌ પ્રવાસી.
(બારી બહાર, પૃ. ૯૮)