ખારાં ઝરણ/છેવટે ગાયબ થયો અંધારમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
છેવટે ગાયબ થયો અંધારમાં

છેવટે ગાયબ થયો અંધારમાં,
શું લખ્યું છે સૂર્યના અવતારમાં?

આંસુઓને જોઈ તું ગદગદ્ ન થા,
આવું તો ચાલ્યા કરે વહેવારમાં.

આ પવન-વાણી હતાં કોની કૃપા?
કેમ ના સમજે કદી અણસારમાં?

મામલો મનનો ઘણો છે જોખમી,
કાચનાં વાસણ ભર્યાં ભંડારમાં.

આમ છે કે ખાસ તું નક્કી ન કર,
જા પ્રથમ ‘ઇર્શાદ’ના દરબારમાં.
૧૭-૧-૨૦૦૯