ખારાં ઝરણ/બાળપણમાં ડોકિયું કરવું નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બાળપણમાં ડોકિયું કરવું નથી

બાળપણમાં ડોકિયું કરવું નથી,
આ કળીને પુષ્પ થૈ ખરવું નથી.

જાય છે, એ જાય છે, ક્યાં જાય છે?
આ બધું જાણ્યા વગર મરવું નથી.

હાથ-પગ તો ક્યારના તું વીંઝતો,
પાણી છે ને પાણીમાં તરવું નથી?

સૌ ક્ષણો હાજરજવાબી હોય છે,
તોય સંચિત મૌન વાપરવું નથી.

સાવ ખાલીખમ થયો ‘ઇર્શાદ’ તું,
ખાલીને એકાંતથી ભરવું નથી.

૧૪-૩-૨૦૦૮