ગુજરાતી નારીસંપદા : કવિતા/નવપલ્લવિત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નવપલ્લવિત

કાજલ ઠક્કર

વર્ષોથી તારી ભીતર
મૂળિયા નાખીને
અંડિગો જમાવનાર ઉદાસીને
મારું સરનામું આપ.
મારાં આંગણામાં ઉછરી રહેલા
પ્રેમ અને આનંદના છોડ સાથે
એની કલમ કરી
કૃષ્ણએ વાવેલ પારિજાતની જેમ
એ રીતે વાવી દઉં કે...
સમયાંતરે
એના પર ખીલનાર
પ્રેમ અને લાગણીના બધા ફૂલ
તારા બગીચામાં ખરે.
તારી ચારેય બાજુ ખીલેલ
પ્રેમ અને લાગણીના ફૂલોને જોઈ
તારો માહ્યલો ખીલી ઉઠે
ને
તાને જોઈને હું...

***