ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/ટૂંકી વાર્તા વિવેચન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨ ક. ૧. ટૂંકીવાર્તા વિવેચન

દવે, રક્ષા એચ.
શીર્ષક : બકુલેશ અને જયંત ખત્રીની વાર્તાઓ : એક અધ્યયન
માર્ગદર્શક : તખ્તસિંહ પરમાર
ભાવનગર, ૧૯૯૨

નાયક, ઇલા ભગવાનજી
શીર્ષક : આધુનિક ટૂંકી વાર્તામાં કપોલ કલ્પનાનો વિનિયોગ, ગુજરાત, ૧૯૯૩
માર્ગદર્શક : ચંદ્રકાંત ટોપીવાલા
પ્રકા. ૧૯૯૬, પૃ. ૨૩૯
સાહિત્યમાં પ્રાચીન સમયથી દેખાતું કપોલ કલ્પનાતત્ત્વ આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં કઈ રીતે પ્રયોજાયું, તેના વિધેયાત્મક અને નિષેધાત્મક પરિણામો કેવા આવ્યાં તેનો વાર્તાના વિશ્લેષણાત્મક નિદર્શનો દ્વારા અહીં પરિચય કરાવ્યો છે. સૌ પ્રથમ કપોલ કલ્પનાની સંજ્ઞા ચર્ચા અને વ્યાખ્યા આપી કપોલકલ્પનાની વિભાવના સ્પષ્ટ કરી આપી છે. બીજા પ્રકરણમાં કપોલકલ્પનાનું સ્વરૂપ અને કાર્યની તપાસ કરી છે. ત્રીજા-ચોથા પ્રકરણોમાં કપોલકલ્પના ગુજરાતી ટૂંકીવાર્તામાં કેવી રીતે વિનિયોજાઈ છે તેનો આલેખ છે.

કાકા, સુધા આર.
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ટૂંકીવાર્તાનું રચનાશીલ ટેકનીકની દૃષ્ટિએ, ગુજરાત, ૧૯૮૮-૮૯
માર્ગદર્શક : મફત ઓઝા

ચુડાસમા, નયના વાલજીભાઈ
શીર્ષક : ગુજરાતી ટૂંકી વાર્તામાં વાસ્તવનું નિરૂપણ
માર્ગદર્શક : સતીશ વ્યાસ
૧૯૯૭, પૃ. ૨૧૨
આ મહાનિબંધમાં કલા અને વાસ્તવના સંબંધનું આલેખન કરી ગુજરાતી ટૂંકી વાર્તામાં વાસ્તવના નિરૂપણનું વર્ણન કરવામાં આવ્યું છે.

પરમાર, મોહન
શીર્ષક : સુરેશ જોષી પછીની વાર્તાનાં વિશેષ પરિમાણો
ગુજરાત, ૧૯૯૪

વીજળીવાળા શરીફા
શીર્ષક : કેટલીક ગુજરાતી ટૂંકીવાર્તાના સંદર્ભે કથાસાહિત્યની એક મહત્ત્વની રચનારીતિગત પ્રયુક્તિ તરીકે કથનકેન્દ્રનો આલોચનાત્મક અભ્યાસ.
માર્ગદર્શક : શિરીષ પંચાલ
એમ. એસ. યુનિ., ૧૯૯૪
કથા સાહિત્યની એક મહત્ત્વની રચનારીતિગત પ્રયુક્તિ ‘કથનકેન્દ્ર’ની વિભાવના સ્પષ્ટ કર્યા પછી નવ્યવિવેચનથી માંડીને સંરચનાવાદ-અનુસંરચનાવાદ, શૈલીવિજ્ઞાનના અભિગમો અને પદ્ધતિઓ તથા ગુજરાતી વિવેચકોએ આ વિશે કરેલા ચિંતનની સમીક્ષા કરી છે. પાંચ પ્રકરણોમાં વિભાજિત મહાનિબંધ.
પ્રકરણ-૧ : કથાસાહિત્યની વિભાવના, પ્રકરણ-૨ : કથાસાહિત્યના એક પ્રકાર તરીકે ટૂંકીવાર્તા, પ્રકરણ-૩ : ટૂંકીવાર્તાની મહત્ત્વની યુક્તિ-પ્રયુક્તિ તરીકે કથનકેન્દ્ર, પ્રકરણ-૪ : કથનકેન્દ્રની દૃષ્ટિએ ગુજરાતી વાર્તાની તપાસ. અંતિમ પ્રકરણ પાંચમાં ઉપસંહાર નિમિત્તે કેટલાંક તારણો કાઢવામાં આવ્યાં છે.

ભટ્ટ, રૂપા કે.
શીર્ષક : જયંતિ દલાલ અને ચુનીલાલ મડિયાનો વાર્તાકાર તરીકે તુલનાત્મક અભ્યાસ.
માર્ગદર્શક : રમણીકલાલ છ. મારુ
ચાર ખંડ અને ૧૧ પ્રકરણોમાં વિભક્ત મહાનિબંધના પ્રથમ ખંડમાં ટૂંકીવાર્તાનો ઉદ્ભવ-વિકાસ, બીજા ખંડમાં જયંતિ દલાલનું જીવન અને સર્જન તથા તેમની વાર્તાસૃષ્ટિનું વિવેચનાત્મક અધ્યયન. ત્રીજા ખંડમાં મડિયાની વાર્તાકલાની તપાસ. ચોથા ખંડમાં દલાલ અને મડિયાની વાર્તાકલાની તુલના અને ફલિત થતાં પ્રતિફલનોની સંપૂર્ણ ચર્ચા.

ભટ્ટ, વનલતાબહેન ચંદ્રગુપ્ત, ૧૯૩૫-
શીર્ષક : સુંદરમ્, ઉમાશંકર, ચુનીલાલ મડિયા અને જયંતિ દલાલની ટૂંકી વાર્તાઓનું તુલનાત્મક અધ્યયન.
માર્ગદર્શક : ડૉ. પ્રમોદકુમાર પટેલ, સરદાર પટેલ, ૧૯૯૧
આ મહાનિબંધમાં પ્રસ્તુત ચાર વાર્તાકારોની વાર્તાઓનો તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ થયો છે. ગાંધીયુગમાં એક જ સમયગાળામાં લખતાં ચાર વાર્તાકારોની વાર્તાકલા વિશેની દૃષ્ટિ, સૂઝસમજ જુદી હોવા છતાં એ ચારેયની વાર્તાકલામાં સમાન દેખાતાં વલણો (વિષયવસ્તુ, વસ્તુસંકલના, ભાષાશૈલી)માં સમાનતા હતી તો રુચિમાં, કળાદૃષ્ટિમાં, જીવનદૃષ્ટિમાં કેટલીક ભિન્નતાઓ પણ હતી. આ સમાનતા-ભિન્નતા જોવાનું વલણ આ મહાનિબંધમાં છે.

પટેલ, ડાહ્યાભાઈ ગોવિંદજી
શીર્ષક : ધૂમકેતુથી મધુ રાય સુધીની ટૂંકી વાર્તામાં હાસ્ય
માર્ગદર્શક : વિજય શાસ્ત્રી, દક્ષિણ ગૂજરાત

મહેતા, જયંત અમૃતલાલ, ૧૯૨૫
વિષય : ગુજરાતી સાહિત્યમાં ટૂંકીવાર્તાનો ઉદ્ભવ અને વિકાસ,
ઈ. ૧૯૫૦ : મુંબઈ, ૧૯૬૭

માંગુકિયા, સુદર્શના વી.
શીર્ષક : ‘ગાંધીયુગનું ગુજરાતી નવલિકા સાહિત્ય : ધૂમકેતુ, દ્વિરેફ, રમણલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણીના વિશિષ્ટ અધ્યયન સાથે.’
માર્ગદર્શક : ભાનુપ્રસાદ પંડ્યા
સૌરાષ્ટ્ર, ૧૯૮૯. પૃષ્ઠ સંખ્યા : ૩૦૩
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકશ્રીએ ટૂંકીવાર્તાનું સ્વરૂપ સમજાવી ગાંધીયુગીન વાર્તાકારોનું પ્રદાન આલેખ્યું છે. જેમાં ધૂમકેતુની ટૂંકીવાર્તાઓ, દ્વિરેફની ટૂંકીવાર્તાઓ, રમણલાલ દેસાઈની ટૂંકીવાર્તાઓ, ઝવેરચંદ મેઘાણીની ટૂંકીવાર્તાઓનું વિશિષ્ટ અધ્યયન કરી આપણી સમક્ષ રજૂ કરી છે. મહાનિબંધનાં અંતમાં સંશોધકે ગાંધીયુગના ચતુર્મુખી વાર્તાપ્રવાહનું તુલનાત્મક દર્શન કરાવ્યું છે.

મોદી, નવીનચંદ્ર કાલિદાસ, ૧૯૪૧
શીર્ષક : ગુજરાતી ટૂંકી વાર્તાઓ : સ્વરૂપ અને વિકાસ
માર્ગદર્શક : જયંત પાઠક
દક્ષિણ ગુજરાત, ૧૯૭૬. પ્રકા. ‘ગુજરાતી ટૂંકીવાર્તા : આકાર અને આગમન’ ૧૯૮૦, પૃ. ૧૯૨

વાળા કે. જે.
શીર્ષક : સ્નેહરશ્મિ, સુંદરમ્ અને ઉમાશંકર જોશીની ટૂંકીવાર્તાઓ : એક આલોચનાત્મક અધ્યયન
માર્ગદર્શક : નીતિન વડગામા, સૌરાષ્ટ્ર, ૨૦૦૨

વેદ, ગીતા
શીર્ષક : ૧૯૫૦ પછીની ગુજરાતી અને હિંદી ટૂંકી વાર્તાઓનો તુલનાત્મક અભ્યાસ
માર્ગદર્શક : ડૉ. સિતાંશુ મહેતા
એમ. એસ. યુનિ. ૧૯૯૩, પૃ. ૨૦૬
આ મહાનિબંધમાં કથનકલાની ભૂમિકાનું વર્ણન કરેલ છે. તુલનાત્મક સાહિત્યની ભૂમિકાનું પણ ઊંડાણ પૂર્વક વર્ણન કરેલ છે. ગુજરાતી અને હિંદી ટૂંકી વાર્તાઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે, માનવની આર્થિક-સામાજિક, વાસ્તવ, ગ્રામીણ પરિવેશની વિગતવાર માહિતી આપેલ છે.

શાસ્ત્રી, વિજયકુમાર રમણલાલ, ૧૯૪૫–
શીર્ષક : ટૂંકી વાર્તાનું સ્વરૂપ અને ટૅકનિક્ : ચાર વાર્તાકારોને અનુલક્ષીને
માર્ગદર્શક : ડૉ. જયંત પાઠક
દક્ષિણ ગૂજરાત, ૧૯૮૧. પ્રકાશન : ૧૯૯૫, પૃ. ૩૨૦
૧૯૯૫નો વિવેચન માટેનો સાહિત્ય અકાદમી (ગુજરાત)નો ઍવોર્ડ પ્રાપ્ત કરનાર આ મહાનિબંધ ૧૯૯૨થી ૧૯૯૫નાં ત્રણ વર્ષો દરમિયાન પ્રગટ થયેલા, દ. ગુજ. યુનિના મહાનિબંધોમાં, શ્રેષ્ઠ મહાનિબંધ તરીકે ઘોષિત થયો હતો. જયંત ખત્રી, સુન્દરમ્, ઉમાશંકર અને જયંતિ દલાલની ટૂંકી વાર્તાઓની પ્રત્યક્ષ વિવેચના અહીં થઈ છે.

સોલંકી, ભરત
શીર્ષક : આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં સન્નિધિકરણ,
માર્ગદર્શક : સતીશ વ્યાસ
ગુજરાત, ૧૯૯૩

હિંદી-ગુજરાતી ટૂંકીવાર્તા
ઇન્દ્રપુરકર, લતા દત્તાત્રેય
શીર્ષક : સાઠોત્તરી હિંદી ઔર ગુજરાતી કહાનિયોં મેં નારીજીવન
એમ. એસ. યુનિ. ૧૯૮૭

પટેલ, નારણભાઈ મથુરભાઈ
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર હિંદી અને ગુજરાતી ટૂંકીવાર્તાઓ : તુલનાત્મક અધ્યયન, ૧૯૪૭-૧૯૬૫,
દક્ષિણ ગુજરાત, ૧૯૭૩