ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનંતહંસશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનંતહંસશિષ્ય : આ નામે ૧૧ કડીની ‘પ્રતિલેખના-કુલક’ (લે. ઈ.૧૫૪૬), ‘એકાદશગણધર-સ્તવન’ (લે.ઈ.૧૬૮૪) અને ૨૪ કડીની ‘મહાવીર-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ બધી કૃતિઓના કર્તા ઈ.૧૫૧૪માં થયેલા તપગચ્છના જૈન સાધુ અનંતહંસના શિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૬મી સદીનો ગણી શકાય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]