ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનંતહંસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનંતહંસ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૬મી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરની પરંપરામાં જિનમાણિક્યગણિના શિષ્ય. ઈ.૧૪૭૭માં વાચક-પદ. એમની ઈડર સંબંધી ૪૬ કડીની ‘ઇલાપ્રાકારચૈત્યપરિપાટી’ (૨. ઈ.૧૫૧૪ લગભગ; *મુ.), ‘બારવ્રત-સઝાય’ અને ૩૪ કડીની ‘શત્રુંજયચૈત્યપરિપાટી’ એ કૃતિઓ મળે છે. તેમણે સંસ્કૃતમાં ‘દશદૃષ્ટાંત-ચરિત્ર (૨. ઈ.૧૫૧૫) અને અપભ્રંશમાં ‘અષ્ટાહ્નિકા-ચરિત્ર’ રચેલાં છે. કૃતિ : *જૈન કૉન્ફરન્સ હેરેલ્ડ, જાન્યુ. ૧૯૧૯. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩ (૧, ૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]