ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરચંદ-અમરચંદ્ર-અમરચંદ્ર સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમરચંદ/અમરચંદ્ર/અમરચંદ્ર(સૂરિ) : અમરચંદ્રને નામે ૩ પાર્શ્વનાથાદિ સ્તુતિઓ, ૧૬ કડીની ‘સીમંધરસ્વામીવિનંતી’ અને ૫ કડીની ‘નેમિ-ગીત’ અને અમરચંદ્રસૂરિને નામે ૭૦૦૦ ગ્રંથાગ્રની ‘રાજપ્રશ્નીયોપાંગસૂત્ર-સ્તબક’ (લે. ઈ.૧૮૨૯) એ કૃતિઓ મળે છે. આ અમરચંદ્ર કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. અમરચંદને નામે એક હિંદી સ્તુતિ (મુ.) મળે છે, તે કોઈ અર્વાચીન કવિ પણ હોય. કૃતિ : જૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]