ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતધર્મ વાચક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમૃતધર્મ(વાચક) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭૯૫/સં. ૧૮૫૧, મહા સુદ ૮] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભક્તિસૂરિના શિષ્ય અને જિનલાભસૂરિના ગુરુબંધુ પ્રીતિસાગરના શિષ્ય. કચ્છમાં ઉપકેશ-વંશની વૃદ્ધ શાખામાં જન્મ. જેસલમેરમાં અવસાન. ૧૧ કડીના ‘(આબુગિરિમંડન) ઋષભજિનેન્દ્ર-સ્તવન’ (ર. ઈ.૧૭૭૮; મુ.), ૭ કડીના ‘(લોદ્રવપુરમંડન) સહસ્ત્રફણાપાર્શ્વનાથ-જિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૦/સં. ૧૮૩૬, ફાગણ વદ ૯; મુ.), ૭ કડીના ‘સંભવનાથજિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૯/સં. ૧૮૪૪, માધવ માસ સુદ ૫; મુ.), ૭ કડીના ‘(મહિમાપુરમંડન) સુવિધિનાથ-જિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૯/સં. ૧૮૪૫, માગશર સુદ ૧૧; મુ.) તથા જિનેશ્વર વિશેનાં અન્ય કેટલાંક મુદ્રિત-અમુદ્રિત સ્તવનોના કર્તા. કૃતિ : ચૈત્યવંદન સ્તવન સંગ્રહ, પ્ર. સુગનચંદજી ઉ. બાઠિયા, સં. ૧૯૮૨. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. મુપુગૂહસૂચી. [વ.દ.]