ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદોદય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આણંદોદય [ઈ.૧૬૦૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ભાવહર્ષસૂરિની પરંપરામાં જિનતિલકસૂરિના શિષ્ય. ૩૦૭ કડીની ‘વિદ્યાવિલાસ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૦૬/સં. ૧૬૬૨, આસો સુદ ૧૩, રવિવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કુ.દે.]