ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવર્ધન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આનંદવર્ધન : આ નામે ૧૨ કડીની ‘સિદ્ધાંતસાર-સઝાય’ (લે. ઈ.૧૬૧૯), ૯ કડીની ‘અભયક્ષ્યઅનન્તકાયવિચાર-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૧૨ છપ્પાની ‘ત્રેસઠસલાકાપુરુષઆયુષ્યાદિબત્રીસસ્થાનકવિચારગર્ભિત-સ્તવન’ (મુ.) તથા ‘સાધુદિનચર્યાસઝાય-બત્રીસી’ એ કૃતિઓ મળે છે. આ કૃતિઓ કયા આનંદવર્ધનની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૮ - ‘ત્રેસઠસલાકાપુરુષબત્રીસસ્થાનકવિચારગર્ભિત-સ્તવન’, સં. રમણિકવિજયજી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]