ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આશારામ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આશારામ-૧ [ઈ.૧૭૫૦માં હયાત] : જ્ઞાતિએ નાગર. સારંગપુરના વતની. ૭૮ કડીના ‘સુદામા-ચરિત્ર’ (૨. ઈ.૧૭૫૦/૨. સં. ૧૮૦૬, શ્રાવણ- ૩ , મંગળવાર; મુ.)ના કર્તા. આ કવિએ ‘ધ્રુવાખ્યાન’ બીજાં આખ્યાનો તથા ગુજરાતી-હિંદી પદો રચ્યાં હોવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે. કૃતિ : ૧. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન, ૧૯૩૬ - ‘કવિ આશારામ અને તેમનું સુદામાચરિત્ર’, કનૈયાલાલ ભા. દવે (+સં.). [નિ.વો.]