ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયકમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદયકમલ[ઈ.૧૭૬૪ હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નકુશલના શિષ્ય. ૧૧ ઢાળની ‘વિજયશેઠ-વિજ્યાશેઠાણી-ચોપાઈ’ (૨. ઈ.૧૭૬૪/સં. ૧૮૨૦, જેઠ સુદ ૧૨, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]