ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયચંદ-ઉદયચંદ્ર-ઉદયચંદ્ર મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદયચંદ/ઉદયચંદ્ર/ઉદયચંદ્ર(મુનિ) : ઉદયચંદને નામે ‘બ્રહ્મવિનોદ’ (લે. ઈ.૧૮૨૮) તથા ૭ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વ-સ્તવ’, ઉદયચંદ્રને નામે ‘મલ્લિનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.) અને ઉદયચંદ્રમુનિને નામે દોહરા અને દશીબદ્ધ ‘સનત્કુમાર-ચક્રવર્તીનું ચોઢાળિયું’ (મુ.) મળે છે. આ ઉદયચંદ/ઉદયચંદ્ર કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘સનત્કુમાર-ચક્રવર્તીનું ચોઢાળિયું’માં છેલ્લી પંક્તિઓમાં ‘ધર્મનાથ’ અને ‘ઋષિરાય’ એ શબ્દો આવે છે તે કદાચ કવિનાં ગુરુનામ હોય. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વરતીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહતટા;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩.મુપુગૂહસૂચી. [હ.યા.]