ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયહર્ષ - ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદયહર્ષ - ૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિવેકહર્ષના શિષ્ય. ગુરુ વિવેકહર્ષની સાથે જહાંગીર બાદશાહને મળ્યા હતા તેથી જીવનકાળ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ગણી શકાય. એમને નામે સિદ્ધસેનસૂરિની મૂળ સંસ્કૃત રચના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ ઉપર ૬૨૭ ગ્રંથાગ્રનો બાલાવબોધ (લે. ઈ.૧૬૬૮) મળે છે. સંદર્ભ : ૧ ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. [હ.યા.]