ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અવસ્થાનિરૂપણ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘અવસ્થાનિરૂપણ’ : પારિભાષિક નિરૂપણવાળી અખાની આ કૃતિ(મુ.) જીવાત્માની ૪ ભૂમિકાઓને ચાર-ચારણી ચોપાઈની ૧૦-૧૦ કડીના શરીરાવસ્થા, અજ્ઞાનવસ્થા, જીવઈશ્વરજ્ઞાન અને કૈવલ્યજ્ઞાન - એ ૪ ખંડોમાં વર્ણવે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય એ શરીરાવસ્થાઓને મિશ્રવર્તી તરીકે વર્ણવી (જેમ કે - તુરીયમાં અન્ય ૩ અવસ્થાઓના પણ અંશો છે એમ બતાવી) જીવાત્માની અજ્ઞાન દશામાં આ ચારે શરીરાવસ્થાઓ કઈ રીતે પ્રવર્તે છે તે અહીં સમજાવ્યું છે અને તુરીયાતીત કૈવલ્યજ્ઞાનની ભૂમિકાએ પહોંચવાનો માર્ગ બતાવ્યો છે. ગૌડપાદાચાર્યની ‘માંડુક્યકારિકા’માંનું વિશ્લેષણ આ કૃતિમાં બીજ રૂપે રહેલું જણાય છે. [જ.કો.]