ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકસિંહ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કનકસિંહ(ગણિ) [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં શિવનિધાનના શિષ્ય. જિનરત્નસૂરિની પ્રશસ્તિ કરતા, તેમના આચાર્યકાળ (ઈ.૧૬૪૩-ઈ.૧૬૫૫)માં રચાયેલા, ૭ કડીના ‘જિનરત્નસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [વ.દ.]