ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકસૌભાગ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કનકસૌભાગ્ય [ઈ.૧૬૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિના શિષ્ય ૨૭૧ કડીના ‘વિજયદેવસૂરિ-રંગરત્નાકર-રાસ’ (ર.ઈ.૧૬૦૮/સં. ૧૬૬૪, મહા સુદ ૧૧)ના કર્તા. કનકસૌભાગ્યને નામે કેટલીક ‘હરિયાળીઓ’ પણ નોંધાયેલી છે પરંતુ તે આ જ કનકસૌભાગ્યની છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [વ.દ.]