ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરુણાસાગર-૨


કરુણાસાગર-૨ [ ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. સાધુસુંદરસૂરિના શિષ્ય. ૧૭ કડીની ‘તેર કઠિયાની સઝાય (ઔપદેશિક)’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. કવિના ગુરુ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં થયેલા સાધુસુંદરસૂરિ હોવાની શક્યતા છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]