ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કર્મસિંહ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કર્મસિંહ-૧ [ઈ.૧૬૨૨માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં પુણ્યોદયના શિષ્ય. ‘નર્મદાસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, ચૈત્ર સુદ ૧૦, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧,૩(૨). [ક.શે.]