ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણસાગર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલ્યાણસાગર-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં ચારિત્રસાગરના શિષ્ય. વિજયપ્રભસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી જણાતી ૩૫ કડીની ‘પાર્શ્વનાથચૈત્યપરિપાટી/તીર્થમાળા’ (મુ.)ના કર્તા. એમણે કેટલાંક સ્તવનો, સઝાયો રચ્યાં હોવાનું પણ નોંધાયું છે. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧ (+સં). [હ.યા.]