ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલલાભ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કુશલલાભ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં કુશલધીરના શિષ્ય. ૩૫ ઢાળની ‘ધર્મબુદ્ધિપાપબુદ્ધિ-ચોપાઈ/રાસ’ (૨.ઈ.૧૬૯૨/સં.૧૭૪૮, પોષ વદ ૧૦), ૩૯ ઢાળની ‘વનરાજર્ષિ-ચોપાઈ’ (૨.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૯, અસાડ સુદ ૧૫) અને ૫ ઢાળના ‘મલ્લિનાથનું સ્તવન’ (૨.ઈ.૧૭૦૦/સં. ૧૭૫૬, આસો સુદ ૧; મુ.)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [ક.શે.]