ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણકુળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃષ્ણકુળ [ઈ.૧૮૩૦માં હયાત] : આનંદપુરના વાસી. ૩૫ કડીમાં કક્કા રૂપે દેવીસ્તુતિ રજૂ કરતી ‘બત્રીસ અક્ષરનો ગરબો’ (૨.ઈ.૧૮૩૦/સં. ૧૮૮૬, આસો સુદ ૮, શનિવાર; મુ.) એ કૃતિના કર્તા. સંદર્ભ : શ્રમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. [ચ.શે.]