ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવ મુનિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કેશવ(મુનિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૪૪-ઈ.૧૫૯૬)ના શિષ્ય. સુરતમાં ધર્મસાગરે કરેલા અંચલમતખંડનને અનુલક્ષતી ૪૩ કડીની ‘તિથિચર્ચાની હમચી’ના કર્તા. જુઓ કેશવદાસ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]