< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
ગજસાગર(સૂરિ)શિષ્ય [ઈ.૧૬૦૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ૪૨ કડીની ‘નેમિચરિત્ર-ફાગ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, ફાગણ-૬, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૧. [કી.જો.]